ધોની પછી ટીમ ઇન્ડિયાને વિકેટકીપરનું ટેન્શન ,વિશ્વકપમાં કોણ કરશે ?

By: nationgujarat
27 Jul, 2023

ભારત પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું આયોજન કરી રહ્યું છે. ડોમેસ્ટિક કન્ડીશન્સમાં રમવાને કારણે ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં ફેવરિટ માનવામાં આવે છે. પરંતુ આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાનું સૌથી મોટું ટેન્શન વિકેટકીપરની પસંદગીને લઈને છે. 2007, 2011, 2015, 2019ના તમામ ODI વર્લ્ડ કપમાં વિકેટ પાછળ હાજર હતો. આવી સ્થિતિમાં ધોની વિના પ્રથમ વખત ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપ રમવા માટે ઉતરશે.

વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. પરંતુ આ ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો માથાનો દુખાવો વિકેટકીપર બની ગયો છે. હાલમાં, ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં વનડે રમવા ગઈ છે, તેમાં બે વિકેટકીપર ઈશાન કિશન અને સંજુ સેમસનનો સમાવેશ થાય છે. કેએલ રાહુલ પણ ધીમે ધીમે ફિટ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, જો તે ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ ટીમમાં સામેલ થાય છે, તો તે વિકેટકીપર તરીકે રમી શકે છે.પરંતુ અત્રે એ નોંધનીય છે કે કેએલ રાહુલ 1 મેના રોજ લખનૌમાં આરસીબી સામે લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો\આવી સ્થિતિમાં, વિકેટ કીપિંગ કરતી વખતે ફિટ હોવા છતાં, તે કેટલો આરામદાયક રહેશે, આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે.

ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર (રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ) સંપૂર્ણ રીતે સેટ લાગે છે. આ પછી ટીમમાં હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાનું સ્થાન પણ નિશ્ચિત છે. વિકેટકીપરની જગ્યા (ઈશાન કિશન, સંજુ સેમસન, કેએલ રાહુલ) માનવામા આવી રહી છે. આવી સ્થિતિમાં સૌથી વધુ ટેન્શન વિકેટકીપરને લઈને જોવા મળી રહ્યું છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી બોલિંગમાં ફિક્સ માનવામાં આવે છે.

મહેન્દ્ર સિંહ ધોની ODI ક્રિકેટમાં ભારતના સૌથી સફળ વિકેટકીપર રહ્યા છે. તેણે વિકેટકીપર (2004-2019) તરીકે 347 મેચ રમી હતી. તેણે આ સમયગાળા દરમિયાન કુલ 318 કેચ અને 120 સ્ટમ્પ કર્યા. એટલે કે કુલ 438  વિકેટ ઝડપી છે.

વર્લ્ડ કપ 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે,  વિકેટકીપરનું પ્રદર્શન પણ આગામી સમયમાં રમાનારી ODI મેચો દ્વારા નક્કી કરવામાં આવશે. વર્લ્ડ કપ પહેલા ભારતે 12 વનડે રમવાની છે. જેમાં સપ્ટેમ્બરમાં એશિયા કપ અંતર્ગત 6 મેચો (સુપર-4 અને ફાઈનલ રમવા પર) યોજાશે. જ્યારે દ્વિપક્ષીય શ્રેણી હેઠળ 6 વનડે રમાશે. જો આ રીતે જોવામાં આવે તો ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપની તૈયારી માટે માત્ર 12 વનડે રમવાની છે. આ દરમિયાન ટીમ મેનેજમેન્ટને તેમની ઓપનિંગ જોડી, મિડલ ઓર્ડર, વિકેટકીપર, સ્પિનર ​​અને ફાસ્ટ બોલરને અજમાવવાની તક મળશે.


Related Posts

Load more